|
| જ્યોફ મિલરે ક્રિકેટરોનું સમર્થન કર્યુ |
| લંડન (ભાષા), મંગળવાર, 2 ડિસેમ્બર 2008 ( 18:47 IST ) | |
ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકર્તા જ્યોફ મિલરે આગામી સપ્તાહ ટેસ્ટ શ્રેણી માટે ભારત જવા અનિચ્છુક પોતાના ક્રિકેટરોનું સમર્થન કરતા જણાવ્યું છે કે, પૂરી રીતે તૈયાર હોવા પર જ તેમણે ભારત જવું જોઈએ. મુંબઈમાં ગત સપ્તાહ આતંકવાદી હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ વન ડે શ્રેણીના બાકી બે મેચ રદ્દ કરીને સ્વદેશ પરત ફરી ગઈ હતી.
સુરક્ષા વિશેષજ્ઞ રેગ ડિકાસનથી લીલી ઝંડી મળવા છતાં પણ એંડ્રયૂ ફ્લિંટોફ અને સ્ટીવ હાર્મિસન સહિત કેટલાક પ્રમુખ ખેલાડી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારત પરત ફરવા ઈચ્છતા નથી.
મિલરે ધ ઈંડિપેંડેટથી કહ્યું ખેલાડીઓને પોતાનો નિર્ણય ખુદ લેવાની મંજૂરી છે અને સુરક્ષા રિપોર્ટ અનુકૂળ થવા પર પણ તેમને જવા માટે બાધ્ય ન કરી શકાય. ખેલાડીઓના પૂરી રીતે તૈયાર થવા પર જ બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવા જવું જોઈએ.
તેમણે કહ્યું જો તેમના મનમાં કોઈ હિચકિચાટ હોય તો જવાનો કોઈ ફાયદો નથી. અમે ઈચ્છીએ છીએ કે, તે દડા અને બેટથી સારુ પ્રદર્શન કરે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|