|
| ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો |
| કરાચી (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008 ( 14:57 IST ) | |
પાકિસ્તાનના કેટલાયે ક્રિકેટરોએ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતથી સહાનુભૂતિ વ્યક્ત કરી અને જણાવ્યું કે, તેને ઉપમહાદ્રીપમાં પાકિસ્તાન સહિત અન્ય દેશો માટે ક્રિકેટને બચાવવાને પગલે કામ કરવું જોઈએ.
પાકિસ્તાન ભારત અને શ્રીલંકામાં સતત આતંકવાદી હુમલાઓના કારણે ઉપમહાદ્રીપમાં ક્રિકેટને ઘણું નુકસાન થયું છે.
પાકિસ્તાનમાં કેટલીયે ઉચ્ચ સ્તરીય ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ થઈ ચૂકી છે અને હવે ઈંગ્લેન્ડની ટીમ પણ મુંબઈમાં સર્જાયેલી ઘટના બાદ ભારતમાં યોજાઈ રહેલી એક દિવસીય શ્રેણી વચ્ચે જ છોડીને પોતાના દેશ રવાના થઈ ગઈ છે.
ભૂતપૂર્વ કપ્તાન ઈંજમામ ઉલ હકે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી સુરક્ષા મુદ્દે પાકિસ્તાન પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને હવે ભારતને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે કહ્યું કે, ભારત પાસે ઘણું વ્યવસાયિક બજાર છે એટલા માટે તે આતંકવાદી હુમલાઓ છતાં પણ આ સમસ્યાઓમાંથી બહાર આવી શકે છે. ભારતને પાકિસ્તાનને આ સમસ્યામાંથી બહર કાઢવાની જરૂરિયાત છે અને તે આગામી વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કરીને એવું કરી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|