|
| ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયથી નફરત : ભજ્જી |
| નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 18:02 IST ) | |
ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે, તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારવાથી નફરત છે એટલા માટે આ ટીમ વિરુદ્ધ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું કોઈ સંજોગ નથી.
હરભજને કહ્યું મને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારવાથી નફરત છે. મારો કહેવાનો અર્થ એ છે કે, આ ટીમ વિરુદ્ધ મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એકમાત્ર સંજોગ નથી. તેણે એક સમાચાર ચેનલને જણાવ્યું કે, જ્યારે પણ હું રમું છું ત્યારે મારી અંદર જુસ્સો ભરાઈ જાય છે કારણ કે, તેમને હરાવવા સરળ કામ નથી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શનના કારણે ટર્બનેટર નામ મેળવનારા હરભજને ખુલાસો કર્યો કે, તેમને આ પ્રકારનું નામ રાખવું પસંદ નથી. તેઓ કહે છે કે, મારુ નામ હરભજન સિંહ છે અને હું ઈચ્છું છું કે, લોકો મને હરભજન સિંહના નામથી જ બોલાવે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|