|
| કુંબલે દ્રારા સંન્યાસની અટકળોનું ખંડન |
| બેંગલૂર (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008 ( 15:32 IST ) | |
ભારતીય ટેસ્ટ કપ્તાન અનિલ કુંબલે એ આજે એ અટકળોનો જવાબ દેવાથી ઈનકાર કર્યો છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોજુદા શ્રેણી બાદ તે સન્યાસ લેવા જઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, એવો કોઈ નિર્ણય લેવા પર તે જાહેરાત કરી દેશે.
કુંબલેએ મેચ પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હું અથવા ના નહીં કહું. જ્યારે મારી અંતિમ શ્રેણી હશે ત્યારે હુ જણાવી દઈશ. ખેલાડીઓને ખુદ નક્કી કરવા દો કે, તેમને ક્યારે સન્યાસ લેવાનો છે. તેમણે એ જરૂર જણાવ્યું કે, આ તેમના શહેર બેંગ્લૂરમાં તેમનો અંતિમ મેચ હશે.
વર્તમાન પત્રોમાં પોતાના કોલમમાં કુંબલે એ એમ કહીને સન્યાસની અટકળોને હવા આપી છે કે, બેંગ્લૂરમાં આ તેમનો અંતિમ ટેસ્ટ હશે. ખાસ કરીને સૌરવ ગાંગુલીના સન્યાસની જાહેરાત બાદ બેટીંગનું બજાર ગરમ થઈ રહ્યું હતું.
આ વિષે પુછવા પર કુંબલે એ જણાવ્યું કે, હું નથી જાણતો કે, તમે ક્યાં વર્તમાન પત્રની વાત કરી રહ્યાં છો. ભારતમાં લાખો છાપાઓ છપાય છે અને તેમાં ઘણું બધુ લખવામાં આવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|