|
| ખાલી હાથે પાછી નહીં ફરૂં : અંજલિ |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 16:55 IST ) | |
એથેંસથી ખાલી હાથે પાછી ફરવાની નિરાશા હજી સુધી ન ભુલી શકનારી ગોલ્ડન શૂટર અંજલિ ભાગવતે અર્જુનની જેમ બેઈજીંગ ઓલિંમ્પિકમાં પદક પર પોતાનું નિશાન સાધ્યું છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે, આ વખતે દેશવાસીઓને તે નિરાશ થવાનો મોકો નહીં આપે.
અંજલિએ કહ્યું કે, ઓલિંમ્પિકની મારી તૈયારીઓએ આ વખતે ઉત્તમ છે કારણ કે, આ વખતે મેં હંગેરીના કોચ લાજકો જિયાક પાસેથી માર્ગદર્શન મેળવીને યોજનાબદ્ધ તૈયારી કરી છે. તેનો મનોવૈજ્ઞાનિક ફાયદો પણ મળશે. એથેંશ ઓલિંમ્પિક દરમિયાન મારી પાસે કોચ ન હતા તેથી મારે મારી રીતે પોતે જ તૈયારીઓ કરવી પડી હતી.
ભારતીય નિશાનેબાજીમાં સચિન તેંડુલકર કહેનારી અંજલિએ બ્રાઝિલ વિશ્વકપ 2006મા ચોથા સ્થાન પર રહીને સતત ત્રીજીવાર ઓલિંમ્પિક માટે ક્લાલિફાઈડ કરી લીધું હતું.
દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નથી સમ્માનીત આ એર રાઈફલ નિશાનેબાજે એથેંસ ઓલિંમ્પિકની નિષ્ફળતા બાદ રમતને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. તેમણે પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે, એથેંસ ઓલિંમ્પિ બાદ નિશાનેબાજી છોડવા માંગતી હતી. પણ જ્યારે મેં તેનો પ્રયત્નકર્યો ત્યારે મારૂ ચેન છીનવાઈ ગયું અને હું ગાંડા હેવી થવા લાગી. ત્યાર બાદ મેં પુનરાગમન કર્યું જેમાં હું સફળ રહી અને મેં ઓલિંમ્પિક માટે ક્વાલુફાઈડ કર્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|