યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી
અમદાવાદ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 10:20 IST )
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આશારામ બાપૂના સમર્થકો દ્રારા મીડિયાકર્મિઓ પર કરવામાં આવેલા હુમલાઓની તપાસનો આદેશ આપી દીધા છે. તેમજ રાજ્યના ગૃહ મંત્રી અમિત શાહે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેના દોષીઓને સજા અપાવવાનું આશ્વાસન આપ્યું છે.

આ સાથે જ સ્થાનીય પત્રકાર સંઘે શનિવારે અહીં રેલી કાઢીને ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આશારામબાપૂના આશ્રમમાં થયેલી બે બાળકોના મૃત્યુ કેસમાં આશ્રમ પ્રશાસનને દોષી ઠેરાવાની શુક્રવારે અમદાવાદ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારી કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં છે.

આ દરમિયાન આશારામના સમર્થકોએ મીડિયાના લોકો પર હુમલો કરી મીડિયાકર્મીઓ સાથી મારપીટ કરી અને તેમના કેમેરા અને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ મીડિયાકર્મિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સમર્થક બાપૂ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનું કવરેજ કરવાનો વિરોધ કરી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, 6 જુલાઈના રોજ દીપેશ અને અભિષેક નામના બે બાળકોના મૃતદેહ અમદાવાદમાં સંત શ્રી આશારામ ગુરૂકૂળ પાછળ નદીના કિનારેથી મળી આવ્યાં હતાં. આ બાળકોને ગુરૂકૂળમાં અભ્યાસમ માટે ભરતી કરવામાં આવ્યાં હતાં અને ત્રણ જુલાઈથી જ તેઓ આશ્રમમાંથી ગૂમ થઈ ગયાં હતાં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભૂમિ વિવાદમાં 23 ની ધરપકડ
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ
સપાના માત્ર 16 સાંસદ બેઠકમાં પહોંચ્યા
વિજળીનો કરંટ લાગવાથી ચારના મૃત્યું
માયાવતી સંપત્તિનો હિસાબ આપે : કોંગ્રેસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...