|
| માયાવતી સંપત્તિનો હિસાબ આપે : કોંગ્રેસ |
| લખનૌ (ભાષા), 18 જુલાઈ 2008 ( 14:12 IST ) | |
કોંગ્રેસે આવકથી વધારે સંપત્તિના કેસમાં સીબીઆઈ તપાસ પ્રકરણમાં મુખ્યમંત્રી માયાવતીની આલોચનાને ફગોવતા જણાવ્યું છે કે, મુખ્યમંત્રી માટે જરૂરી છે કે, તે તેનો હિસાબ આપે અને પાર્ટી આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રદેશ પ્રભારી દિગ્વિજય સિંહે આજે અહીં પ્રદેશના જિલ્લા અને શહેર અધ્યક્ષોની બેઠકને સંબોધિત કરતા જણાવ્યું કે, જો માયાવતી પાસે ઘોષિત આવકથી વધારે સંપત્તિ છે તો તેનો દેશની જનતા સામે હિસાબ દેવો પડશે.
સિંહે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ ભલે જે વર્ગનો હોય અથવા કોઈ પણ પદ પર હોય તમામ માટે કાયદો એક છે. જો કોઈ ભૂલ કરે છે તો કોંગ્રેસ અપર્ટી તેની વિરુદ્ધ અવાજ જરૂર ઉપાડશે.
તેમણે કોંગ્રેસજનોને અપીલ કરી કે, માયાવતી સરકારની જે પણ ઉણપો છે તેને જનતા સુધી પહોંચાડે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ત્યારે મજબૂત થશે જ્યારે જનતા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ જન સંઘર્ષ કરશે.
સિંહે પરમાણુ કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ સમજૂતિથી દેશના દૂરના ગામોને વીજળી મળશે અને આ કરાર દેશના દૂરગામી હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તેનો વિરોધ માત્ર નિહિત સ્વાર્થવશ કરવામાં આવી રહ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|