|
| વિસ્ફોટ મુદ્દે રાજસ્થાન સરકાર જવાબદાર : ગહલોત |
| જયપુર (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 16:44 IST ) | |
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગહલોતે જયપુરમાં કાલે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવીને જણાવ્યું છે કે, કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ દ્રારા રાજસ્થાનને સતર્ક કર્યા બાદ સુરક્ષાના સમુચિત પગલાઓ ન ઉપાડવાના કારણે આ ઘટના સર્જાઈ.
ગહલોતે જણાવ્યું કે, રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયા ગૃહમંત્રાલય દ્રારા રાજસ્થાન સરકારને જયપુરના હવામહેલ અને સાંગાનેરી વિસ્તારમાં આતંકવાદી ઘટના થવાની સંભાવના વ્યક્ત કરતા કડક સુરક્ષા પૂરી પાડવા માટે મોકલેલા પરિપત્રને સામાન્ય બતાવી રહ્યાં છે જ્યારે મુખ્યમંત્રી વસુંધરા રાજે આવા કોઈ પરિપત્ર વિષે સ્પષ્ટ ઈનકાર કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, પરિપત્રના મુદ્દા પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વચ્ચે એક રાય ન હોવાથી જાહેર થઈ શકે છે કે, રાજસ્થાન સરકાર સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી સચેત છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|