યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
અગ્નિ-2 મિસાઈલ સફળ પ્રક્ષેપણ
બુધવાર, 20 મે 2009   ( 08:06 IST )
ભારતે ત્રણ હજાર કિલોમીટર સુધી માર કરી શકે તેવી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ એવી અગ્નિ-2 મિસાઈલનું ઓરિસ્સાના સમુદ્રકિનારે આવેલા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી આજે મંગળવારે સફળ પરિક્ષણ કર્યુ છે.

રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં જ નિર્માણ પામેલી મધ્યમ અંતરે માર કરનારી આ બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ સવારે લગભગ 10:06 વાગ્યે કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સૈન્યનું એક પ્રાયોગિક પ્રક્ષેપણ હતું અને ઉપકરણ સંબંધિત જરૂરી મદદ પૂરી પાડવા માટે આ પ્રસંગે રક્ષા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો ઉપસ્થિત હતા.

અત્યાધૂનિક એવી આ મિસાઈલનું પરિક્ષણ સફળ રહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ સફ્ળ પરિક્ષણો બાદ મિસાઈલનું ઉત્પાદન કરવામાં આવશે. વરિષ્ઠ રક્ષા વૈજ્ઞાનિકે કહ્યું હતું કે આ પ્રકારની મિસાઈલોના ઉત્પાદન માટે અમે સંપૂર્ણ રીતે પ્રણાલીઓ વિકસાવી છે. સૈન્યમાં આ પ્રકારના અસ્ત્રોના સંચાલન માટે એક વિશેષ મિસાઈલ ટીમની રચના કરવામાં આવી છે.

સરકારી પ્રભુત્વ ધરાવતી ભારત ડાયનામિક્સ લિમિટેડ અગ્નિ-1 અને અગ્નિ-2 મિસાઈલોના ઉપ્તાદન માટે નોડલ એજન્સી સ્થપાઈ છે.

જમીનની સપાટી પર માર કરનારી અગ્નિ-1ની મારક ક્ષમતા 1500 કિ.મીની છે જ્યારે અગ્નિ-2 એક હજાર કિ.ગ્રા સુધીનું વજન વહન કરવાની સાથે સાથે 2500 કિ.મી થી લઈને 3000 કિ.મીના અંતર સુધીના પોતાના લક્ષ્યને વિંધી શકે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ખંડુરીનું રાજીનામું
બાલ ઠાકરેએ રાજ સાથે સંબંધ તોડ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફિફ્ટી-ફિફ્ટી બેઠકો
વરુણના પ્રવચનથી ભાજપને નુકસાન
લાલુ-મુલાયમની કેબિનેટમાંથી બાદબાકી
અડવાણી પછી કોણ ?
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...