|
| રાધનપુર નજીક અકસ્માત, 21 મર્યા |
| રાધનપુર (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 11:24 IST ) | |
રાધનપુર નજીક આવેલા સિનાડ ગામે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેઇલર અને મેટાડોર સામ સામે અથડાતા 21ના મૃત્યુ નિપજ્યાં તથા અન્ય ઘાયલ થયાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર પાલનપુર હાઇવે પર રાધનપુર નજીક આવેલા સિનાડ ગામે ગત રાતે નવ વાગ્યાના અરસામાં આ ગોઝારી ઘટના ઘટી હતી.
ઉત્તર પ્રદેશથી મજૂરી કામ માટે આવેલા મજૂરો આઇશર મેટાડોરમાં થરા બાજુ જઇ રહ્યાં હતાં ત્યારે સામેથી આવી રહેલું એક ટ્રેઇલર ઘડાકાભેર ટકરાયું હતું. જેમાં મેટાડોરમાં સવાર મજૂરોના મૃત્યુ નિપજ્યાં હતાં.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ અકસ્માતને પગલે ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|