|
| કસાબનો વકીલ પડકાર છે ! |
| મુંબઇ, રવિવાર, 17 મે 2009 ( 14:17 IST ) | |
વકીલ અબ્બાસ કાજમીએ આજે કહ્યું કે ઇસ્લામિક જિમખાનાના ન્યાસી પદથી તેમને હટાવવામા જિમખાનાના વિવાદાસ્પદ નિર્ણયને તે અદાલતમાં પડકારશે. જિમખાનાએ કથિત રીતે મુંબઇ હુમલાના આરોપી મોહમ્મદ અજમલ આમીર કસાબની પેરવી કરવા માટે કાજમીની વિરૂધ્ધ આ પગલાં ભર્યા છે.
કાજમીએ કહ્યું હતું કે, આ નિર્ણય તમામ રીતે ગેરકાયદેસર છે અને વ્યક્તિગત રોષને પગલે લેવાયેલો નિર્ણય છે. ઇસ્લામિક જીમખાનાના ન્યાસી પદથી કાજમીની નિયુક્તિને એપ્રિલમાં આ આધારે રદ કરી દેવામાં આવી હતી કે તે આતંકવાદીની પેરવી કરવી ઇસ્લામની ભાવનાથી વિપરીત છે. જિમખાનાએ કાજમીને મોકલેલા આ પત્રમાં લખ્યું છે કે, તમે ખૂંખાર આતંકવાદી કસાબનો કેસ લડવાની તૈયારી બતાવી છે. જે ઇસ્લામની ભાવનાઓથી વિપરીત છે. ઇસ્લામમાં આતંકવાદીઓ માટે કોઇ જગ્યા નથી અને કોઇ આતંકવાદીનો બચાવ કરવાની પણ કોઇ ગુંજાઇશ નથી. જિમખાનાની અખંડતાને બનાવી રાખવા માટે તમને હોદ્દા પરથી દુર કરવામાં આવે છે.
કાજમીએ કહ્યું કે આમાં રાજનીતિજ્ઞ દળોની ભાવનાઓની ગંધ આવી રહી છે. જિમખાના એક મુસ્લિમ સંસ્થા નહી પરંતુ આ લોકોનો સમુહ છે અને તેઓ કેવી રીતે કહી શકે કે કોઇનો બચાવ કરવો એ ઇસ્લામ વિરૂધ્ધ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|