|
| કાશ્મીર ખીણની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી |
| શ્રીનગર, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 17:29 IST ) | |
વડાપ્રધાન મનમોહનસિંહે શનિવારે કાશ્મીરની પ્રથમ ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કર્યું હતું.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલા સમારોહમાં રેલમંત્રી લાલુપ્રસાદ યાદવ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, રાજ્યપાલ એન.એન.વોરા હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાને નૌગામ સ્ટેશન પરથી કાશ્મીરની પ્રથમ ટ્રેનને રવાના કરી હતી. મનમોહનસિંહ કાશ્મીરની બે દિવસની યાત્રા પર છે. જે દરમિયાન હિંસક પ્રદર્શનને શાંત પાડવા પોલીસે ફાયરીંગ કર્યું હતું. જેમાં બે વ્યક્તિઓનાં મોત થયા હતાં. જ્યારેવ 75 લોકો ઘાયલ થયા હતાં.
આ ટ્રેન બડગામ જિલ્લાનાં રાભવનેશ્વરથી અનંતનાગ સુધી ચાલશે. આ દરમિયાન તે 66 કિલોમીટરનું અંતર કાપશે. ઉધમપુર અને બારામુલ્લાને જોડનાર આ રેલ પ્રોજેક્ટ પાછળ છેલ્લાં દસ વર્ષમાં 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|