|
| વિદર્ભ યાત્રા સંતોષજનક : રાહુલ |
| નાગપુર (ભાષા), 19 જુલાઈ 2008 ( 15:26 IST ) | |
કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ ગઈ કાલે પોતાની વિદર્ભની યાત્રાને સંતોષપ્રદ ગણાવી છે.
પૂર્વી મહારાષ્ટ્રના એક દિવસની યાત્રા બાદ રાહુલે કહ્યું છે કે, આ એક સારી યાત્રા હતી.
કપાસ માટે પ્રસિદ્ધ એવા આ વિસ્તારમાં પોતાની આ યાત્રા દરમિયાન રાહુલે ઘણા ખેડુતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી.
રાહુલએ જાણવા માંગતા હતા કે, વડાપ્રધાનના વિશેષ પેકેજનો લાભ ખેડુતોને મળી રહ્યો છે કે કેમ?
વડાપ્રધાન મનમોહન સિંહે જુલાઈ 2006માં આ વિસ્તારની મુલાકાત દરમિયાન દેવાના બોઝ નીચે દબાયેલા ખેડુતો માટે ત્રણ હજાર 750 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ યુવા નેતાએ વર્દ્ધા જિલાના દોલી તથા અમરાવતી જીલ્લાના શિવની ગામની મુલાકાત લીધી. આ બંને ગામો સમાચારોમાં છવાયેલા હતા. કૃષિ સંકટના કારણે બંને ગામના લોકોએ એક તખ્તી લગાવી દીધી હતી જેના પર લખ્યું હતું કે 'ગામ વેચાણ માટે છે'.
રાહુલની આ યાત્રામાં તેમની સાથે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રભારી મહાસચિવ માર્ગેટ અલ્વા તથા એનએસયુઆઈના નેતા મીનાક્ષી નટરાજન હાજર હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|