|
| એમડીએમકેનો વ્હિપ જારી કરવાનો નિર્ણય |
| નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 16:33 IST ) | |
એમડીએમકેએ આજે યુપીએ વિરુદ્ધ મતદાન કરવા માટે પોતાના સાંસદોને સૂચના જારી કરવાનો નિર્ણય કર્યો પરંતુ તેના બે અસંતુષ્ટ સાંસદો દ્રારા પાર્ટી લાઈનનું ઉલ્લંઘન કરવામાં આવવાની સંભાવના છે.
એમડીએમકે નેતા વાઈકોએ અહીં પત્રકારોને જણાવ્યું કે, તેમણે પાર્ટી સાંસદ સી કૃષ્ણનને ત્રણ લાઈનનો વ્હિપ જારી કરવા માટે અધિકૃત કર્યા છે. તે અન્ય સભ્યો એ રવિચંદ્રન તથા અસંતુષ્ટ સભ્ય એલ ગણેશન અને જિંજી એન રામચંદ્રનને વ્હિપ જારી કરીને પાર્ટીના નિર્દેશો પર ચાલવાનું કહેશે.
તેમણે જણાવ્યું કે, સંવિધાનની 10 મી અનુસૂચિ અનુસાર કોઈ રાજનીતિક પાર્ટી દ્રારા નિર્દેશોનું આ સભ્યોને પાલન કરવાનું હોય છે જે પાર્ટી ટિકિટ પર ચૂંટવામાં આવે છે. એવું ન કરનારાઓને અયોગ્ય જાહેર કરી દેવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, પાર્ટી નિર્દેશો વિરુદ્દ જઈને મતદાનમાં ભાગ ન લેવા પર પણ સભ્યોને અયોગ્ય ઠેરાવામાં આવી શકે છે. લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને મોકલવામાં આવેલા પત્રમાં વાઈકોએ કહ્યું કે, તેમના નેતૃત્વવાળા સમૂહને હાલમાં ચૂંટણી પંચે અસલી એમડીએમકે જાહેર કરી છે અને આ કારણે તે આ પ્રકારના નિર્દેશ જારી કરી રહ્યાં છે જેથી સાંસદ પાર્ટી લાઈન પર ચાલે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|