|
| પ્રભાકરણના મૃતદેહની ઓળખ થઈ |
| કોલંબો (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 18:18 IST ) | |
વેલ્લુપિલ્લે પ્રભાકરણના બે ભૂતપૂર્વ નજીકના સહયોગીઓએ ઉત્તરી સંઘર્ષના ક્ષેત્રમાં જઈને સંઘર્ષમાં મૃત્યુ પામેલા લિટ્ટે પ્રમુખના મૃતદેહની ઓળખ કરી દીધી છે.
ગોળીઓથી ચારણી થયેલો પ્રભાકરણનો મૃતદેહ ઓળખ માટે શ્રીલંકા સરકાર વર્ષ 2004 માં લિટ્ટેથી અલગ થનારા અને ભૂતપૂર્વ પૂર્વી કમાંડર વી. મુરલીધરન ઉર્ફે કરુણા અને સેના સમક્ષ હાલમાં આત્મસમર્પણ કરનારા દયા માસ્ટરને પુથુમતાલન લઈને આવી.
સંઘીય સરકારમાં મંત્રી કરુણાએ જણાવ્યું કે, આ પ્રભાકરણનો મૃતદેહ છે. આ સંબંધમાં કોઈ શંકા નથી. જો કે, મને થોડું દુ:ખ થયું કે, તે હવે ન રહ્યો પરંતુ સત્ય એ છે કે, તેણે ક્યારેય પણ કોઈનું ન સાંભળ્યું. તે હમેશા માનતો હતો કે, માત્ર હિંસા જ સમાધાન છે. તેણે કહ્યું કે, આ આ એ જ છે. તેના શરીરમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તેને તેના કર્મોનું ફળ મળી ગયું છે.
કરુણાએ કહ્યું કે, તે વ્યક્તિગત રીતે રાહુલ અને પ્રિયંકા ગાંધીથી મળીને તેમને જણાવવા ઈચ્છે છે કે, લિટ્ટેએ રાજીવ ગાંધીની હત્યા શા માટે કરી.
વરુણે કહ્યું કે, તે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિથી પણ મળવા ઈચ્છે છે કારણ કે, તેણે શ્રીલંકામાં તમિલોના મુદ્દાને ઉપાડ્યો છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે, સાંસદ વી. મુરલીધરન અને દયા માસ્ટરે પ્રભાકરણના મૃતદેહની ઓળખ કરી લીધી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|