|
| તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણ ઠાર |
| કોલંબો (એજન્સી), સોમવાર, 18 મે 2009 ( 18:09 IST ) | |
તમિલ ટાઈગર વિદ્રોહીઓના પ્રમુખ વેલુપિલ્લઈ પ્રભાકરણને ઠાર કરાયો છે. શ્રીલંકાના સરકારી ટેલિવિઝન પર આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યાં છે. આ સાથે જ શ્રીલંકા સેનાના પ્રમુખે ટેલીવિઝન પર કહ્યું કે, શ્રીલંકામાં લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમના વિદ્રોહીઓ વિરુદ્ધ જે સૈનિક અભિયાન ચાલી રહ્યું હતું તે સમાપ્ત થઈ ગયું છે.
આ અગાઉ સેનાએ કહ્યું હતું કે, સંઘર્ષમાં પ્રભાકરણના પુત્ર ચાર્લ્સ એંટોની સિવાય ત્રણ વરિષ્ઠ તમિલ વિદ્રોહી નેતા મૃત્યુ પામ્યાં.
સેનાના અનુસાર એલટીટીઈની રાજનીતિક શાખાના પ્રમુખ બાલસિંઘમ નદેસન, શાંતિવાર્તા સચિવાલયના પ્રમુખ સીવર્તનમ પુલીદેવન અને સેન્ય કમાંડર રમેશનો મૃતદેહ પ્રાપ્ત થયો છે.
પરંતુ બીબીસી સંવાદદાતાઓનું કહેવું છે કે, આ ખબરોની પુષ્ટિ કરવી અસંભવ છે કારણ કે, પત્રકારોને સંઘર્ષવાળા વિસ્તારોમાં જવાની મંજૂરી નથી. શ્રીલંકા સરકારનું અત્યાર સુધી કહેવું હતું કે, સૈનિક અંતિમ લડાઈ લડી રહ્યાં છે જ્યારે તમિલ વિદ્રોહીઓ સાથે જોડાયેલી એક વેબસાઈટનું કહેવું હતું કે, પ્રભાકરણ સામાન્ય તમિલ લોકોના પ્રાણ બચાવ માટે હથિયાર નાખવા માટે તૈયાર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|