|
| પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત |
| લીમા, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 11:38 IST ) | |
માઓવાદી સંગઠન શાઈનીંગ પાથનાં છાપામારોએ દક્ષિણ પેરૂમાં એક સૈન્ય કાફલા પર ઘાત લગાવીને કરેલાં હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકો અને બે નાગરિકો સહિત 14 લોકોનાં મોત થયા હતાં. છેલ્લાં એક દશકમાં સેના પર થયેલો આ સૌથી ઘાતક હુમલો હતો.
સેનાનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતાં. રાજધાની લીમાથી 250 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હુઆનકાવેલિસાનાં એને અપુરિમૈક નદી ઘાટીની નજીક સૈનિકો અને નાગરિકોને લઈ જઈ રહેલ સેનાની ચાર ટ્રકો પર ગુરૂવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.
સેનાએ જાહેર કરેલા એક નિવેદનમાં આ હુમલો શાઈનીંગ પાથનાં ચરમપંથી ઉગ્રવાદીઓએ કર્યો હતો. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે આ ઉગ્રવાદીઓ પેરૂમાં માદક દ્રવ્યોની તસ્કરીમાં સંલિપ્ત છે. અને તેમાંથી થતાં ફાયદાથી શસ્ત્રોની ખરીદી કરે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|