|
| ધર્મગુરુના કૃત્ય પર પોપે માફી માંગી |
| સિડની (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 11:06 IST ) | |
પોપ બેનેડિક્ટ સોળમાંએ એક રોમન કેથલિક ધર્મગુરુ દ્વારા બાલકો પર યૌન શોષણ કરવાના અપરાધ માટે લોકોની ક્ષમા માંગતા કહ્યું કે, આ શૈનાતી કૃત્ય છે અને તેમણે લોકોનો વિશ્વાસ તોડ્યો છે.
બેનેડિક્ટે અહીં ઘણા લોકોને સંબોધિત કરતા કહ્યું કે, કેટલાક ધર્મગુરુઓ દ્વારા અલ્પ વયસ્કોનું શોષણ થયું છે જેનાથી ધાર્મિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પ્રકારના શરમજનક કૃત્ય માટે હું લોકોની ક્ષમા માગું છું.
તેમણે કહ્યું કે, દોષિઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં ચર્ચ દ્વારા શોષિત લોકોના સમર્થક સમૂહોના હજારો કાર્યકર્તાઓએ આ ધર્મગુરુઓ દ્વારા કરવામા આવેલા શેષણ માટે પોપે સાર્વજનિક રૂપે માફી માંગવા તથા ભવિષ્યમાં તેમની પુનરાવૃત્તિ ન થવા દેવાનું આશ્વાસન આપવાની માંગણી કરી હતી.
વિશ્વ યુવા દિવસ પર હજારો શ્રદ્ધાળુઓને સંબોધિત કરવા માટે પો હજી ઓસ્ટ્રેલિયામાં જ છે. આ કાર્યક્રમ કૈથોલિકોની આગીમી પેઢીને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આયોજીત કરવામાં આવી રહ્યો છે.
ધર્મગુરુઓના શોષણનો શિકાર બનેલા અલ્પ વયસ્કોને મળશે કે નહી તે બાબતે જાણકારી મળી શકી નથી. અમેરિકામાં પ્રથમવર આ પ્રકારના એક કાંડ બાદ પોપ ત્યાં જઈને પીડિતોને મળ્યા અને ક્ષમા માંગી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|