|
| રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો |
| મુંબઈ (ભાષા), 20 ઑક્ટોબર 2008 ( 16:12 IST ) | |
ભારતીય રિજર્વ બેંકે (આરબીઆઈ) આજે અલ્પાવધિના વ્યાજ દર (રેપો દર) માં ઘટાડો કર્યો છે. આરબીઆઈના આ પગલાથી બેંકોને વ્યાજ દર ઘટાડવામાં મદદ મળશે. રેપો દરના ઘટાડા બાદ હવે આ દર ઘટીને આઠ ટકા થઈ ગયો છે.
આરબીઆઈ દ્વારા જારી એક યાદી અનુસાર દબાણને ઓછું કરવા અને નાણાકિય સ્થિરતાને જાળવી રાખવા માટે રિજર્વ બેન્કે તરલતા સમાયોજન સુવિદા અંતર્ગત રેપો દર 100 આધાર અંક ઘટીને આઠ ટકા કરવાનો નિર્ણય કર્યો છે જે તત્કાલ પ્રભાવથી લાગૂ છે.
આ અગાઉ રિજર્વ બેન્કે સીઆરઆરમાં અઢી ટકાનો ઘટાડો કર્યો હતો જેનાથી બેંકિગ તંત્રમાં 100000 કરોડ રૂપિયાનો પ્રવાહ થયો હતો. નાણામંત્રી પી.ચિદંબરમે નવી દિલ્લીમાં પત્રકારોને જણાવ્યું કે, રિજર્વ બેન્કની આ પહેલથી ઉધાર લેનારા અન્ય રોકાણકારોને લાભ થશે અને અર્થવ્યવસ્થાને બળ મળશે.
તેમણે રિજર્વ બેન્કના ઉપરોક્ત પગલાને આર્થિક વિકાસને સુનિશ્વિત કરવા માટે કરવામાં આવેલા ઉપાયોનો ભાગ ગણાવ્યો. ચિદંબરમે કહ્યું આ અમારી આશા છે તેનાથી રોકાણકાર અને રોકાણ પ્રસ્તાવ આગળ વધવાનું જારી રાખશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|