|
| શૌર્ય |
નિર્દેશક : સમર ખાન, સંગીત : અદનાન સામી, કલાકાર : રાહુલ બોસ, મિનિષા લાંબા, કે.કે.મેનન, જાવેદ જાફરી, સીમા વિશ્વાસ
કેપ્ટન જાવેદ ખાન પર આરોપ છે કે, તેણે ન તો માત્ર દેશ વિરુદ્ધ બગાવત કરી પરંતુ પોતાના મિત્રની હત્યા પણ કરી છે. જાવેદને જ્યારે પોતાના બચાવમાં કંઈક બોલવાનું કહેવામાં આવે છે તો તે માત્ર મૌન સેવીને બેઠો રહે છે.
તેનો કોર્ટ માર્શલ થાય છે અને લાગે છે કે, જાવેદ એ ઘટના વિષે કંઈક તો બોલશે પરંતુ જાવેદ કંઈ પણ બોલતો નથી. બધાનું માનવું છે કે, જાવેદના મૌન પાછળ અનેક રહસ્યો છુપાયેલા છે.
બીજી તરફ જાવેદનું માનવું છે કે, જો તેણે ઘટના વિષે મોઢું ખોલ્યું તો કંઈક એવા મહત્વપૂર્ણ રહસ્યો ઉજાગર થઈ જશે જે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઠીક નથી.
આખરે જાવેદની ચુપ્પીનું રહસ્ય જાણવાની જવાબદારી આકાશ અને સિદ્ધાંત નામના બે વ્યક્તિઓને સોંપવામાં આવે છે. બન્ને વચ્ચે ઉંડી સમજણ છે કારણ કે, વકીલ હોવાની સાથો-સાથ બન્ને મિત્રો પણ છે જો કે, તેમની જીવનશૈલી એક બીજાથી તદ્દન વિરુદ્ધ છે.
તેમના માટે એક અનોખો કેસ છે જેના સમાધાન કરતા તેનું જીવન બદલી જાય છે તેના વિચારવાની રીત બદલી જાય છે.
શું છે જાવેદના મૌન રહેવાનું રહસ્ય ? શું તેણે પોતાના મિત્રને માર્યો ? જો આ રહસ્ય ખુલી જશે તો શું થશે ? શું આકાશ અને સિદ્ધાંત પોતાના હેતુંમાં સફળ થઈ શકશે ખરા ?
જાણવા માટે જુઓ 'શોર્ય'
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|