|
| ક્રેજી 4 |
નિર્માતા : રાકેશ રોશન નિર્દેશક : જયદીપ સેન સંગીત : રાજેશ રોશન કલાકાર : અરશદ વારસી, ઇરફાન ખાન, રાજપાલ યાદવ, સુરેશ મેનન, જૂહી ચાવલા, દીયા મિર્જા
આ દુનિયામાં દરેક વ્યક્તિ પાગલ છે. કોઈ પ્રેમ પાછળ તો કોઈ પૈસા પાછળ. તમે નજર ફેરવશો તો આજુબાજુમાં આવા અનેક વ્યક્તિઓ તમને જોવા મળશે. આ બધા લોકોનું એવું માનવું છે કે, તેઓ જે ઈચ્છે છે તે તેઓને નહીં મળે તો તેઓ ગાંડા થઈ જશે.
‘ક્રેજી 4’ ના પાત્રોને આ વાતનો ડર નથી.તેઓને જાણ છે કે, તેઓ પહેલેથી જ પાગલ છે. રાજાનો ક્રોધ કદી સમાતો નથી તે વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે અને સામેના વ્યક્તિની ધોલાઈ કરી નાખે છે. તેના આ વિસ્ફોટક સ્વભાવના કારણે જ તેને લોકો 'માથાભરે' કહે છે.
ડૉ. મુખર્જી સફાઈ અને કામને વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે. હવે આ તો સારી વાત કહેવાય પરંતુ સાંભળો, તેઓ પોતાના મગજ પર અકુંશ ગુમાવી ચૂક્યાં છે.
ગંગાધર બિચારો ભૂતકાળમાં જ ખોવાયેલો છે. હજું પણ તે આઝાદીની લડાઈ લડી રહ્યો છે. નેહરૂજી અને ગાંધીજી સાથે તેની મુલાકાતો થતી રહે છે.
ડબ્બૂ મહાશય ખુબ જ પ્રેમાળ છે. સૌના લાડલા છે. વર્ષોથી કંઈ બોલ્યા નથી. કેમ ? તે કોઈને જાણ નથી.
આ બધાને ઠીક કરવાની જવાબદારી ડો. સોનાલીને સોંપવામાં આવી છે અને તેને વિશ્વાસ છે કે, થોડા સમય બાદ આ ચારેય ઠીક થઈ જશે.
શું આ ‘ક્રેજી 4’ દુનિયાનો સામનો કરી શકશે ? શું દુનિયા તેમને સ્વીકારશે ? ‘ક્રેજી 4’ આવી રહ્યાં છે. જોવા માટે તૈયાર થઈ જાવ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - લાભપ્રદ સ્થિતિઓ રહેશે. આપની વાત કામકાજની પ્રસન્નતા અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. નવા વિચાર-યોજનાઓ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|