|
| ચંદ્રના પ્રભાવથી રાહુલનો ભાગ્યોદય | | - જ્યોતિર્વિદ પં. સુરેન્દ્ર બિલ્લૌરે |
|
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના મોટા પુત્ર રાહુલ ગાંધીનો જન્મ દિલ્લીમાં થયો. જે સમયે થયો ત્યારે તેમનો સમય મિથુન રાશિ પર બિરાજમાન હતો.
સૂર્યથી નવમ ભાવમાં રાહુ બિરાજમાન હતો. જો કે, રાહૂ પાપ ગ્રહ માનવામાં આવે છે એટલા માટે કુંડલી અનુસાર તે પિતાના સુખથી વંચિત કરે છે અને આ કારણે પિતાના પૂર્ણ સુખથી જાતક વંચિત રહે છે. શ્રી રાજીવ ગાંધીના 1991 માં દુર્ઘટનામાં સ્વર્ગવાસી થવું રાહુલના પિતાનુ પૂર્ણ સુખ નહીં મળવું પ્રમાણિત કરે છે. આ સૂર્યના પ્રભાવથી રાહુલ ગાંધીને મન: શાંતિ કદી પ્રાપ્ત થઈ નથી.
ચંદ્રમાના પ્રભાવથી સાહસી અને યુવાવસ્થામાં ભાગ્યોદય થાય છે. જન્મ સમય મિથુન રાશિનો મંગળ જે સ્થાન પર બિરાજમાન છે તેનાથી પણ પિતાના સુખ પર પ્રભાવ પડ્યો. તેનાથી પણ સ્વયંને પણ પોતાના પુત્ર સંબંધિત દુ:ખી હોવાનો યોગ બને છે. અત: કષ્ટ નિવારણ માટે શાસ્ત્ર અનુસાર રાહુલ ગાંધીને ભૂમિપુત્ર મંગળની આરાધના અને મંગળનું દાન કરવું જોઈએ.
નેહરુજીના વંશજ હોવા અને તેમની લોકપ્રિયતાના ફળસ્વરૂપ રાહુલને સારુ પ્રતિફળ પ્રાપ્ત થશે. બીજી તરફ રાહુલની સ્પષ્ટવાદિતા અને મિત્રો, સહયોગીઓ પ્રત્યે કટુભાષી હોવું, પોતાની પાર્ટી પ્રત્યે સ્પષ્ટતા દર્શાવી શનિનો પ્રભાવ છે. વર્તમાન સમયમાં તેમની રાશી પર સૂર્યની મહાદશા ચાલી રહી છે. તેની સમયાવધિ 1 જાન્યુઆરી 2005 થી 1 જાન્યુઆરી 2011 સુધી રહેશે.
10 જાન્યુઆરી 2005 થી 28 સપ્ટેમ્બર 2008 સુધી સૂર્યની મહાદશામાં શનિની અંતર્દશા રહેશે. તેના પ્રભાવથી રાહુલને 1 મે થી 13 ઓગસ્ટ સુધી જનસપર્કથી લોકપ્રિયતામાં વૃદ્ધિ મળશે અને સહયોગીઓનો વિશ્વાસ પણ તે મેળવશે.
દરમિયાન મિત્રોની ગતિવિધિઓથી માનસિક તણાવ વધી શકે છે. અત: રાહુલનો સતર્ક રહેવાની જરૂરિયાત છે. કોઈ પણ પ્રકારની સમસ્યામાં પડવુ સારુ નથી. અત: તેનાથી બચો 14 ઓગસ્ટથી 29 સપ્ટેમ્બર સુધી પોતાના પ્રભાવથી કાર્યમાં સફળતા મળશે પરંતુ સાવધાન રહેવાની જરૂરિયાત છે. વિરોધી પક્ષ નવી સમસ્યા ઉભી કરી શકે છે.
સ્વયં સહયોગી વર્ગ જ આપની વિરુદ્ધ જઈ શકે છે પરંતુ આપની પાર્ટીને સફળતા મળવા પર આપના ઉચ્ચ પદનો યોગ બને છે. આગામી સપ્ટેમ્બરથી મધ્ય નવેમ્બર સુધી પાર્ટીમાં વિવાદ ઉગ્ર થઈ શકે છે. અત: તેના પર પૂર્ણ વિચાર કરીને આગળનું કાર્ય શરૂ કરો. નવેમ્બરથી જાન્યુઆરી સુધી વિશેષ કાર્ય ઉકેલવામાં સફળતા મળશે. શુભ કાર્ય થવાથી મનમાં હર્ષ થશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી વિરોધ અને સંઘર્ષમાં વ્યતીત થશે.
ત્યાર બાદ ફેબ્રુઆરી અંતથી વર્ષ અંત સુધીનો સમય સફળતાદાયક રહેશે. વિરોધી પણ તમારાથી સહમતિ દર્શાવશે. તેમના દ્રારા સમજૂતિના પ્રયત્નો પણ થઈ શકે છે. સફળતા મેળવવા માટે રાહુલ ગાંધીને પુખરાજ, અમેરિકન ડાયમંડ અને મોતીનું લોકેટ ધારણ કરવું જોઈએ. આ ઉપરાંત ભગવાન શંકર અને મંગળની આરાધના કરવાથી સુખદ પરિણામ મળી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|